તાલાલા પંથકમાં ૧૫ લાખ આંબાના વૃક્ષોનું કટીંગ થાય તે પહેલા તાલાલા ગીર પંથકની જીવાદોરી સમાન કેસર કેરીનો પાક વિમા માં સમાવેશ કરો : કેરીના ઉત્પાદક કિસાનોને ન્યાય આપવા વિલંબ થશે તો લડત ઉગ્ર બનાવવાની ચિમકી

તાલાલા પંથકમાં વાવાઝોડા અને વિપરીત વાતાવરણના કારણે બે વર્ષથી નાશ પામેલ કેરીના પાકનું વળતર આપવાની માંગણી સાથે કિસાનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું
તાલાલા પંથકની જીવાદોરી સમાન કેસર કેરીનો પાક છેલ્લા બે વર્ષથી વાવાઝોડા તથા વિપરીત વાતાવરણના કારણે નાશ પામ્યો હોય,નાશ પામેલ કેરીના પાકનું કિસાનોને યોગ્ય વળતર આપવાની માંગણી સાથે તાલાલા પંથકના કિસાનોએ આવેદનપત્ર આપ્યું હતું.
   મામલતદાર મારફત રાજ્યના મુખ્યમંત્રીશ્રી તથા કૃષિ મંત્રીને પાઠવેલ આવેદનપત્રમાં તાલાલા પંથકના કેસર કેરીના ઉત્પાદક કિસાનો એ જણાવ્યું હતું કે તાલાલા પંથકમાં અનુકૂળ આબોહવાના અભાવે છેલ્લા પાંચ વર્ષથી કેસર કેરીનું ઉત્પાદન ઘટતું જાય છે,જેમાં છેલ્લા બે વર્ષથી કેરીનો ૮૦ થી ૮૫ ટકા પાક નાશ પામ્યો છે,પરિણામે કેરીના ઉત્પાદક કિસાનો દયાજનક સ્થિતિમાં મૂકાઈ ગયા છે,તેમજ કેરીનો પાક નિષ્ફળ જતાં ઘણા ગામોમાં આંબાના વૃક્ષોનું કિસાનો કટિંગ કરી રહ્યા છે,તાલાલા પંથકમાં ૧૫ લાખથી વધુ કેસર કેરીના વૃક્ષો આવેલ હોય,કેરીનો પાક તાલાલા પંથકની જીવાદોરી સમાન છે,કેરીના ઉત્પાદક કિસાનોને તેમની મહેનતનું કાયમી વળતર મળી રહે માટે કેસર કેરીના પાકનો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં સમાવેશ કરવામાં સરકાર વિલંબ કરશે તો તાલાલા પંથક ની ઓળખ કેરીના આંબાનુ કિસાનો કટીંગ કરવા લાગશે માટે વિશ્વભરની બજારોમાં ખુશ્બુ પ્રસરાતી કેસર કેરીના પાકને પાક વિમાથી સુરક્ષિત કરવાની કિસાનોની લાંબા સમયની માંગણી ની અમલવારી કરવા તેમજ છેલ્લા બે વર્ષથી નાશ પામેલ કેસર કેરીના પાકનું તુરંત વળતર ચૂકવી આર્થિક રીતે પાયમાલ થઈ ગયેલ કિસાનોને ઉગારવા માંગણી કરી છે,તાલાલા પંથકના કિસાનોને ન્યાય આપવા વિલંબ થશે તો લડત ઉગ્ર બનાવવામાં આવશે તેવી ચીમકી આવેદનપત્ર ના અંત માં આપવામાં આવી છે.
    આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં તાલાલા તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ પ્રવીણભાઈ છોડવડીયા,ગીર પંથકના ધારાસભ્ય ભગવાનભાઇ બારડ,જિલ્લા કિસાન સંઘના પ્રમુખ ભરતભાઈ સોજીત્