પીએમ મોદીએ હીટવેવ અને ચોમાસાની તૈયારી અંગે બેઠક યોજી: ઓડિશામાં ચક્રવાત 'આસાની' ત્રાટકવાનું હોઈ, હાઈ એલર્ટ

ઓડિશા સરકારે આગામી ચાર દિવસમાં રાજ્યમાં ચક્રવાત 'આસાની'ને ધ્યાનમાં રાખીને હાઇ એલર્ટ જાહેર કર્યું છે અને તમામ જિલ્લા કલેક્ટરોને એલર્ટ રહેવા જણાવ્યું છે. બીજી તરફ ત્રણ દેશોના પ્રવાસેથી પરત ફરેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ગરમીના મોજા અને આગામી ચોમાસાની ઋતુને પહોંચી વળવા માટેની તૈયારીઓને લઈને મહત્વની સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં હવામાન વિભાગ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ સામેલ થયા હતા. આ દરમિયાન, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના પૂર્વ સચિવ માધવન રાજીવને કહ્યું છે કે આંદામાન સમુદ્ર પર બનેલું ચક્રવાત ૧૪ મે સુધીમાં બાંગ્લાદેશ તરફ વળશે. આનાથી ભારતના દરિયાકાંઠાના વિસ્તારોને કોઈ ખતરો નહીં રહે.
બીજી તરફ હવામાન વિભાગનું કહેવું છે કે ચક્રવાતની સ્પષ્ટ તસવીર હજુ સામે આવી નથી. જોકે, ૫ મે સુધીમાં ડીપ ડિપ્રેશન સિસ્ટમ રચાઈ શકે છે અને ૬ મેના રોજ તોફાન આવવાની શક્યતા છે. શ્રીલંકાએ આ તોફાનને 'આસાની' નામ આપ્યું છે. તેની અસર પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ઝારખંડ, ઉત્તર-પૂર્વના રાજ્યોમાં જોવા મળી શકે છે. ઓડિશા છેલ્લા કેટલાક સમયથી ચક્રવાતનો સામનો કરી રહ્યું છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી થોડા દિવસોમાં દિલ્હી, બિહાર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને કર્ણાટક સહિત દેશના ઘણા ભાગોમાં વાદળછાયું આકાશ અને હળવા વરસાદની આગાહી કરી છે. તે જ સમયે, આગામી 3 દિવસ દરમિયાન, દક્ષિણ-પશ્ચિમ બંગાળના ઝારગ્રામ, પશ્ચિમ અને પૂર્વ મેદિનીપુર જિલ્લાઓ અને દાર્જિલિંગ, કાલિમપોંગ, જલપાઈગુડી, કૂચ બિહાર અને અલીપુરદ્વારના તમામ હિમાલયન જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.
મધ્યપ્રદેશમાં પ્રિ-મોન્સુન વરસાદથી ગરમીમાંથી થોડી રાહત મળી રહશે, પર